આ લીલામીમાં મોદીના એ સૂટને પણ મુકવામાં આવશે જેને કારણે ખૂબ વિવાદ પણ ઉભો થયો હતો. મોદીના આ સુટની કિમંત લાખો રૂપિયામાં હતી અને આ સુટની ફેબ્રિક પર નરેન્દ્ર મોદીનુ નામ લખવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ ભેટની લિલામીથી મળનારી ધનરાશિને ગંગા સફાઈ અભિયાનમાં લગાવવામાં આવશે. પ્રધાનમંત્રીની સાથે સાથે ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળેલ ભેટોને પણ લિલામી માટે મુકવામાં આવશે. આનંદીબેનના ભેટથી એકત્રિત થનારી ધનરાશિને કન્યાઓના હિત માટે ખર્ચ કરવામાં આવશે.