આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ..
રાષ્ટ્રીય વિકાસ માટે શ્રમેવ જયતે સત્યમેવ જયતે જેટલી તાકત છે શ્રમેવ જયતેમાં. આપણે શ્રમને યોગ્ય દરજ્જો નથી આપ્યો. શ્રમિકોને યોગ્ય દરજ્જો નથી આપ્યો. યુવા પેઢીમાં વિશ્વાસ અને ભરોસો ઉભો કરવાની દિશામાં આ પ્રયાસ. જ્યારે આપણામાંથી જ કોઈ મોટી વ્યક્તિ બને છે તો તે પ્રેરણા બની જાય છે. આપણે આ જ પરંપરાને આગળ વધારવાની છે. લોકોમાં વ્હાઈટ કોલર જોબને લઈને ખૂબ સન્માન હોય છે પણ શ્રમિકોને લઈને આ નજરિયો એકદમ અલગ છે. આપણે આને જ બદલવાનો છે. દરેક મજુરને પીપીએફ માટે એક UAN મતલબ યુનિવર્સલ એકાઉંટ નંબર મળશે. જે કંપની બદલ્યા બાદ પણ નહી બદલાય. એ જ રીતે જે પ્રકારની સુવિદ્યા મોબાઈલ પોર્ટેબિલિટીમાં હોય છે.