વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહેલી ટપાલોથી પોસ્ટ ખાતાને પરસેવો વળી રહ્યો છે
ઇમેઇલ તથા મોબાઇલ પર ઉપલબ્ધ મેસેન્જર એપ્સના જમાનામાં પત્રો કોઇ લખતુ નથી એવુ કોઇ માનતુ હોય તો તેમણે જરા નવી દિલ્હીના નિર્માણ ભવન ખાતેના પોસ્ટ કર્મચારીઓએ મળી આવવાં જેવું છે. અહી ઉભા કરાયેલા અલાયદા પીએમ ઓફીસ ડાક યુનીટમાં મનમોહનસિંહ વડાપ્રધાન હતાં ત્યારે દર મહીને પાંચથી દસ હજાર પત્રો આવતા હતાં પરંતુ જયારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે. ત્યારથે દર મહીને એક થી બે લાખ પત્રો આવી રહયા છે. આ પત્રોના ધસારાને પહોંચી વળવા પોસ્ટ ખાતાના નાકે દમ આવી ગયો છે.
લોકો વડાપ્રધાનને તેમના ગામની શાળાની જર્જરીત ઇમારતથી માંડીને વિજળી પેદા કરવાના ઇનોવેટીવ ઉપાય સહિતના દુનીયાભરના વિષયો પર પત્રો પાઠવી રહ્યા છે. ગયા જુલાઇ મહીનાથી પત્રોની સંખ્યા સીધી દસ ગણી થઇ જતા પોસ્ટ ખાતાએ અહી સ્ટાફ વધારવો પડયો છે. અને હાલ ૫૦ કર્મચારીઓ અને અધીકારીઓને માત્ર પીએમઓની મળતી ટપાલો મેસેજ કરવા માટે જ રોકવો પડયો છે.
પીએમઓને મળતા પત્રોનું પહેલા સીકયુરીટી સ્કેનીંગ થાય છે. બાદમાં આ પત્રો સાદી ટપાલથી આવ્યા છે. કે સ્પીડ પોસ્ટથી તે પ્રમાણે વર્ગીકરણ કરીને દરેક દરેક પત્રની કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવામાં આવે છે. ગમે તેટલા પત્રો આવ્યા હોય પણ રોજ રાતના ૧૧ વાગ્યા સુધીમાં તે પીએમઓમાં પહોંચાડી જ દેવામાં આવે છે. પીએમઓના અધીકરીઓ આ પત્રો વાંચ્યા બાદ તે સંબધીત અધીકારીઓ સુધી પહોંચાડે છે. જે પત્ર વડાપ્રધાનનું વ્યકિતગત ધ્યાન દોરવા યોગ્ય હોય તે તેમના સુધી પહોંચાડાય છે. જુલાઇમાં સો પહેલીવાર એક લાખ પત્રો મળ્યા ત્યારે પોસ્ટ કર્મચારીઓના હોશકોશ ઉડી ગયા હતાં.સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ ઉપરાંત કાશ્મીર પુરમાં મદદની તેમની અપીલને કારણે પત્રોની સંખ્યા ૨.૭ લાખ પર પહોંચી ગઇ હતી. અહી રોજના ૧૦૦ ઇમની ઓર્ડપર પણ આવે છે. જેના નાણા વડાપ્રધાન રાહત કોશમા જમા કરાવાય છે.જો કે,પોતાનું કામ વધી જવા છતા પોસ્ટ ખાતાના કર્મચારીઓ દેશના દરેક ખુણામાંથી થઇ રહેલા પત્રોના ખડકલાથી ખુશ પણ છે.