ખુદને સાબિત કરે મનમોહન - મોદી

ભાષા

સોમવાર, 20 એપ્રિલ 2009 (09:33 IST)
જો, મનમોહનસિંહ અફજલ ગુરને ફાંસી પર ચઢાવી દે છે, ત્યારે જ એમને મજબૂત પ્રધાનમંત્રી કહી શકાય છે.

આ વાત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂ નરોડા ક્ષેત્રમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કહી. તેમણે કહ્યુ કે ઉચ્ચતમ ન્યાયાલયે સંસદ પર હુમલો બાબત અફજલ ગુરને મોતની સજા સંભળાવી. તેને ફાંસી પર ચઢાવવાની હિમંત બતાવવા પર જ એ સાબિત થઈ શકશે કે તમે એક મજબૂત પ્રધાનમંત્રી છો.

તેમણે કહ્યુ સંવાદદાતા સંમેલનમાં આક્રમક રૂપ બતાવી દેવા માત્રથી કોઈ મજબૂત પ્રધાનમંત્રી નથી બની જતુ.

વેબદુનિયા પર વાંચો