કાલે સાંજે થશે રાજ્યાભિષેક

વેબ દુનિયા

ગુરુવાર, 21 મે 2009 (19:32 IST)
P.R

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા આમંત્રણ મળ્યા બાદ કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનના નેતા મનમોહનસિંઘ આવતી કાલે સાંજે સાડા પાંચ વાગ્યે પ્રધાનમંત્રીના શપથ લેશે.

સુત્રો દ્વારા જાણવા મળેલી વિગતો અનુસાર મનમોહન મંત્રી મંડળમાં 60થી 65 જેટલા મંત્રીઓ હોવાની અટકળો લાગી રહી છે. જેમાં કેટલાય દિગ્ગજોના નામો ઉછળી રહ્યા છે તો સાથોસાથ સાથી પક્ષો દ્વારા ટેકો આપવાના બદલામાં પણ મહત્વના ખાતાઓની માંગણી કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો