વાહ રે ચૂંટણી! બોલો ભાજપના વસાવાએ કહ્યું રાહુલ ગાંધીને ઝેર આપી દો

સોમવાર, 25 માર્ચ 2019 (16:39 IST)
બારડોલીમાં ભાજપના નેતા ગણપત વસાવા કોંગ્રેસ પર વરસ્યા હતા. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢતાં આપેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. ગણપત વસાવાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને શંકર ભગવાનની જેમ  ઝેર પીવડાવો, ચૂંટણી સુધી જીવે છે કે કેમ તે જોઈએ. આ નિવેદનથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ રોષે ભરાયાં છે. અગાઉ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના રાહુલને લઇને અનેક કોમેન્ટો થઇ હતી. એક કોમેન્ટમાં રાહુલ ગાંધી શિવ અવતાર હોવાની વાત થઇ હતી, જેના પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. ત્યારબાદ ગણપત વસાવાએ આ પોસ્ટના માધ્યમથી બારડોલીમાં આ નિવેદન આપ્યું હોવાની વાત જણાવી હતી. સોશિયલ મીડિયાના અહેવાલના માધ્યમથી મેં આ નિવેદન આપ્યું હતું. આ મારું કોઇ અંગત નિવેદન નથી. મેં તો જનતા સામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટની વાત કરતો હતો. તેમણે અહીં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં શિવ અવતારને લઇને વાયરલ થઇ રહેલી પોસ્ટમાં એક યૂઝર્સે પોતાનું નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર આપી દો, ચૂંટણી સુધી સમય કાઢી નાખે તો હમેં માની લઇશું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર