Vakri Shani : જુલાઈમાં શનિ થશે વક્રી, આ 5 રાશિઓને મળશે મોટો ઝટકો

ગુરુવાર, 19 જૂન 2025 (18:10 IST)
Shani Vakri Effects On Zodiac Sign: મિત્રો આ વર્ષે જુલાઈથી નવેમ્બર વચ્ચે એક મોટુ જ્યોતિષિય પરિવર્તન થવા જઈ રહ્યુ છે. 13 જુલાઈથી શનિ મીન રાસિમાં વક્રી ચાલમાં પ્રવેશ કરશે અને આ સ્થિતિ લગભગ 138 દિવસ સુધી એટલે કે 28 નવેમ્બર સુધી રહેશે.  જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કર્મફળના દેવતા માનવામાં આવે છે. જે જીવનમાં અનુશાસન ધૈર્ય અને ન્યાયનો પ્રતિક્છે. જ્યારે શનિ વક્રી થાય છે તો તેનો પ્રભાવ સીધો વ્યક્તિના વિચારો નિર્ણય અને જીવનની ગતિ પર પડે છે. આ દરમિયાન અનેક લોકોને આર્થિક યોજનામા અવરોધ, ખર્ચમાં વધારો કે આવકમાં કમી જેવી સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.  
 
શનિનુ વક્રી થવુ કેટલીક રાશિઓ માટે શુભ રહેશે તો કેટલીક રાશિઓએ સાવધ રહેવાની જરૂર છે. આવો જાણી કંઈ છે એ રાશિઓ વિશે જેમણે આ સમય દરમિયાન સાવધ રહેવાની જરૂર છે. 
 
મેષ -  મેષ રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન નાણાકીય નિર્ણયો લેવામાં સાવધાની રાખવી પડશે. આવક અને ખર્ચમાં અસંતુલન થવાની શક્યતા છે, તેથી નકામા ખર્ચ ટાળવા જરૂરી છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો હાલ માટે કોઈપણ ઉતાવળ ન કરશો, નહીં તો નુકસાન થઈ શકે છે. અંગત જીવનમાં પણ ત થોડી ધીરજ રાખો, કારણ કે તણાવ અથવા વિવાદ માનસિક અને શારીરિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. સમજી વિચારીને બોલો અને કોઈપણ સંઘર્ષ કરવાથી દૂર રહો.
 
મિથુન - મિથુન રાશિના જાતકો માટે આ સમય થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે. નાણાકીય સ્થિતિ નબળી પડી શકે છે, તેમજ કામમાં વારંવાર અવરોધ અથવા વિલંબ થઈ શકે છે. કાર્યસ્થળ પર વિરોધીઓની પ્રવૃત્તિ વધી શકે છે, જે તણાવ અને નિરાશાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, દરેક પગલું કાળજીપૂર્વક લેવું મહત્વપૂર્ણ છે, અને લાગણીઓમાં ડૂબી જઈને કોઈ મોટો નિર્ણય ન લો. ધીરજ અને ડિસીપ્લીન જ તમારો એકમાત્ર સહારો રહેશે.
 
કન્યા - કન્યા રાશિના જાતકો માટે આ સમય પડકારજનક રહેશે. પૈસા સંબંધિત પરિસ્થિતિઓમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, જેના કારણે મન બેચેન થઈ શકે છે. પરિવાર અને વૈવાહિક જીવનમાં તણાવ વધવાની શક્યતા છે. આ ઉપરાંત, કેટલાક જૂના દુશ્મનો અથવા વિરોધીઓ તમારી સમસ્યાઓ વધારી શકે છે. દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી મહત્વપૂર્ણ છે. કોઈપણ વિવાદ ટાળવાનો પ્રયાસ કરો અને શાંતિથી ઉકેલ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરો.
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય સંઘર્ષથી ભરેલો હોઈ શકે છે. તમારે તમારા કરિયરમા આગળ વધવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે. અચાનક સમસ્યાઓ માનસિક થાકનું કારણ બની શકે છે. વિવાહિત જીવનમાં પણ સુમેળ જાળવવાની જરૂર પડશે, નહીં તો તણાવ વધી શકે છે. ફક્ત વાતચીત અને સમજણ જ સંબંધોને સંતુલિત રાખી શકે છે. આ સમય આત્મ-નિયંત્રણ અને સ્થિર વિચારસરણીની માંગ કરે છે.
 
ધનુરાશિ
- ધનુરાશિના લોકોએ આ સમયે વધુ સાવધ રહેવું જોઈએ. તમે જીવનમાં અસ્થિરતા અનુભવી શકો છો, ખાસ કરીને ભાવનાત્મક અને માનસિક સ્તરે. ઉતાવળમાં અથવા આવેગમાં લીધેલા નિર્ણયો મોંઘા સાબિત થઈ શકે છે. કોઈપણ નવું કાર્ય સમજી વિચારીને શરૂ કરો અને સલાહ લીધા પછી જ આગળ વધો. તમારા વિચારો અને વર્તનમાં સંતુલન જાળવી રાખો, જેથી તમે આ પડકારજનક સમયને શાંતિથી પાર કરી શકો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર