IPL 2021: ડેવિડ વોર્નરના સ્થાન પર કેન વિલિયમસન સનરાઈઝર્સ હૈદરાબાદના બન્યા નવા કપ્તાન

શનિવાર, 1 મે 2021 (16:28 IST)
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલ 2021 ની બચેલી મેચો માટે કૈન વિલિયમસનને તેમનો નવો કપ્તાન બનાવ્યો છે. ટીમે ડેવિડ વોર્નરને કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં હૈદરાબાદની ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી અને ટીમે છમાંથી પાંચ મેચ ગુમાવી છે. હૈદરાબાદની ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે. વિલિયમસન વોર્નરની ગેરહાજરીમાં તે પહેલા પણ હૈદરાબાદની કપ્તાન સંભાળી ચૂક્યા છે.