New President Of India - દેશની 15મી રાષ્ટ્રપતિ બની મુર્મૂ, વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને આપી કરારી માત

શુક્રવાર, 22 જુલાઈ 2022 (00:37 IST)
New President Of India: રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ મોટી જીત મેળવી છે. તેણે વિપક્ષના પ્રતિદ્વંદીને કારમી હાર આપી છે.  ઉલ્લેખનીય છે કે મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમનો કાર્યકાળ આગામી 5 વર્ષનો રહેશે. દ્રૌપદી મુર્મુને 5,77777 વોટ મળ્યા. તેમણે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા છે. રિટર્નિંગ ઓફિસર પીસી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને 64% વોટ મળ્યા જ્યારે યશવંત સિંહાના પક્ષમાં 36% વોટ પડ્યા.
મુર્મુને જીત માટે જરૂરી 5 લાખ 43 હજાર 261 વોટ ત્રીજા રાઉન્ડમાં જ મળી ગયા. થર્ડ રાઉન્ડમાં જ મુર્મુને 5 લાખ 77 હજાર 777 વોટ મળ્યાં. તો યશવંત સિન્હાને 2 લાખ 61 હજાર 62 વોટ મળ્યાં. જેમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદો સહિત 20 રાજ્યોના વોટ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા મુર્મુને મળવા તેમના ઘરે પહોંચ્યા.
 
રાજનાથ સિંહે  શુભેચ્છા પાઠવી 
 
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનવા પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અસરકારક જીત નોંધાવવા માટે શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને અભિનંદન. તે ગામડાઓમાં, ગરીબો, વંચિતો તેમજ ઝૂંપડપટ્ટીમાં લોક કલ્યાણ માટે સક્રિય છે. આજે તેઓ તેમની વચ્ચેથી સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચી ગયા છે. આ ભારતીય લોકશાહીની તાકાતનો પુરાવો છે.
 
દ્રૌપદી મુર્મુ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા છે. આ સાથે, તે પ્રથમ આદિવાસી નેતા છે જે બંધારણમાં સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે. દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવા પાછળ ભાજપે વિપક્ષી પાર્ટીઓને 2022માં 2024 પહેલાનું જ ટ્રેલર બતાવ્યું છે 
દ્રૌપદી મુર્મુ 25 જુલાઈએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. અહીંની તારીખ એટલા માટે પણ રસપ્રદ છે કારણ કે, આ દિવસે દેશની વિપક્ષી પાર્ટી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ED સમક્ષ હાજર થવાનું છે. મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવા પાછળ ભાજપે વિપક્ષોને રાજકીય જંગમાં ફસાવી દીધા છે. ચાલો જાણીએ મુર્મુના મહામહિમ બનવાના રાજકીય અર્થ શું છે? 
 
દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં બે વખત ધારાસભ્ય અને એક વખત રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું છે. ગવર્નર તરીકેનો તેમનો 5 વર્ષનો કાર્યકાળ 18 મે 2020ના રોજ પૂર્ણ થયો હતો, પરંતુ કોરોનાને કારણે રાષ્ટ્રપતિ દ્વારા નવી નિમણૂંક ન કરવાને કારણે તેમનો કાર્યકાળ આપોઆપ લંબાયો હતો. પોતાના કાર્યકાળ દરમિયાન તે ક્યારેય વિવાદોમાં નથી રહી.
 
આવતીકાલે રામનાથ કોવિંદ માટે વિદાય રાત્રિ ભોજનનું આયોજન કરશે PM મોદી 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 5:30 વાગ્યાથી દિલ્હીની હોટેલ અશોકામાં વિદાય લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે વિદાય રાત્રિભોજનનું આયોજન કરશે.
 
ભાજપે મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવીને આદિવાસી સમાજ બનાવ્યો છે
દ્રૌપદી મુર્મુનું નામ દેશમાં આદિવાસી સમાજમાં પ્રવેશ કરવાની ભાજપની વ્યૂહરચનાનો એક ભાગ છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી અને 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજમાં સંદેશ આપવાનો આ પ્રયાસ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર