પિત નળી જે લિવરનાં પિત રસને નાના આંતરડા સુધી પહોંચાડે છે. પિત નળીમાં પથરી થાય કે ગાંઠ થાય તો પિત આંતરડા સુધી પહોંચી શકતું નથી. જેમને લીધે લિવરમાં પિતનો સંગ્રહ થાય છે. તે પિત ચામડીમાંથી, પેશાબમાંથી નીકળે છે અને આંખોમાં પીળાશ દેખાય છે. પિત નળી અને લિવરમાં લાંબો સમય રહેવાથી ચેપ લાગે છે જેને લીધી દર્દીને ભૂખ નથી લાગતી, ઠંડી લાગીને તાવ આવે છે તેમજ ખંજવાળ આવે છે. જયારે પિત નળી બંધ થાય ત્યારે પેશાબ વધુ પડતો પીળો આવે છે તેમજ સંડાસનો કલર સફેદ થતો જાય છે. પિત નળીમાં કમળો થાય ત્યારે દર્દીને પેટમાં દુ:ખાવો થાય છે. તેમના નિદાન માટે પેશાબ તેમજ લિવર ફંકશન ટેસ્ટ જેવા કે બિલિરુબીન, આલ્કલાઈન ફોસ્રેઝ, ગામા જીટી જેવા લોહીના રિપોર્ટ કરાવવા જોઈએ.
સોનોગ્રાફી, સિટીસ્કેન અને એમ.આર.આઈ. (એન.આર.સી.પી.) જેવા રિપોર્ટ કરાવવા જોઈએ. જો રિપોર્ટ પ્રમાણે કેન્સર આવે તો લોહીમાં સી.એ.19.9નો રિપોર્ટ કરાવવો જોઈએ. રિપોર્ટના આધારે તેમની સારવાર દૂરબીન કે ઓપરેશનથી શકય છે.
જયારે કેન્સરનાં લીધે પિત નળી બંધ થાય ત્યારે વધુ કમળો હોય તો દૂરબીન વડે કેન્સરની ગાંઠની બાયોપ્સી તેમજ ગાંઠની અંદરથી પ્લાસ્ટિકની સ્ટેનટ લિવર સુધી મુકવામાં આવે છે. ઘણી વખતે ઉમર લાયક દર્દીઓમાં કેન્સરની ગાંઠનું ઓપરેશન શકય ન હોય તો પ્લાસ્ટિકને બદલે મેટલ (સ્ટીલ)નો સ્ટેન્ટ બેસાડવામાં આવે છે. દૂરબીનની તપાસનાં (ઈ.આર.સી.પી)ના ઘણાજ ફાયદા છે. જેવા કે એક દિવસનું જ હોસ્પિટલ રોકાણ હોય છે. બહારથી કંઈ ટાંકા આવતા નથી. ટોપી (એનેસ્ગથેસિયા)નું જોખમ ઘણું ઓછું હોય છે તેમજ બ્લડ ચડાવવાની જરિયાત રહેતી નથી હોતી.
ઈ.આર.સી.પી.નાં થોડા ગેરફાયદા હોય છે જેવા કે સ્વાદુપિંડમાં સોજો આવવો, પિત નળીમાં ચેપ લાગવો, પિત નળી ખોલવાથી લોહી નીકળવું, નાના આંતરડામાં છિદ્ર થવું આ બધા ગેરફાયદાનો ઈલાજ પણ શકય છે. પિત નળીનો કમળો થવાનાં ઘણા બધા બીજા કારણો છે. જેવા કે, પિત નળીમાં કૃમિ થવી, પિત નળી સંકોચાવી, પિત નળી સૂકાવી તે બધાનો ઈલાજ શકય છે.