Hanuman Jayanti 2023- હનુમાન જયંતી પૂજા શુભ મુહુર્ત અને પૂજા વિધિ

મંગળવાર, 4 એપ્રિલ 2023 (15:05 IST)
Hanuman Jayanti 2023: ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાને દરેક વર્ષ રામ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાય છે. સંકટમોચન હનુમાનજીના ભક્તોમાં હનુમાન જયંતીના અવસરે ખૂબ ઉત્સાહ જોવા મળે છે અને દેશભરમા આ દિવસે ખૂબ ધૂમધામથી ઉજવાય છે. શ્રી વિષ્ણુને રામ અવતારના સમયે સહયોગ કરવા માટે રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ ઉદ્દેશ્ય જ રામ ભક્ત હતો. આ વર્ષ હનુમાન જયંતી 16 એપ્રિલને ઉજવાશે. આ દિવસે વ્રત રાખશે અને હનુમાનજીનો જન્મ ઉત્સવ ઉજવાશે. ચાલો જાણી હનુમાન જયંતીની તિથિ મહત્વ અને પૂજા વિધિના વિશે 
 
હનુમાન જયંતી 2022ની તિથિ 
6 એપ્રિલને હનુમાન જયંતીના દિવસે 6.06 થી 7.40ના વચ્ચે પૂજા કરી શકો છો. તે પછી તમે બપોરે 12.24 થી 1.58ના વચ્ચે પણ પૂજા કરી શકો છો જે લોકો સાંજે પૂજા કરવા ઈચ્છે છે તે સાંજે 5.07 થીન 8.07ના વચ્ચે કરી શકે છે. 
 
હનુમાન જયંતી પર બની રહ્યા છે શુભ યોગ 
પંચાગ ગણનાના મુજબ આ વર્ષ હનુમાન જયંતી પર રવિ યોગ બની રહ્યો છે. રવિ-યોગને સૂર્યનો ખાસ અસર મળવાના કારણે પ્રભાવશાળી યોગ માનવામાં આવે છે. આ યોગમાં કરેલ કોઈ પણ કાર્ય સફળ હોય છે. પંચાગ મુજબ આ દિવસે 16 એપ્રિલને હસ્ત નક્ષત્ર સવારે 8.40 મિનિટ સુધી છે. ત્યારબાદ ચિત્રા નક્ષત્ર શરૂ થશે. 
 
હનુમાન જયંતીના દિવસે પૂજા દરમિયાન હનુમાનજી માટે આ પૂજન સામગ્રીની જરૂર પડશે 
પૂજન સામગ્રી 
હનુમાન જયંતીના દિવસે પૂજા દરમિયાન હનુમાન જી માટે આ પૂજન સામગ્રીની જરૂર પડશે. લાલ લંગોટ, જળ કળશ, પંચામૃત, જનેઉ, ગંગાજળ, સિંદૂર ચાંદી સોનાનાનો વર્ક, લાલ ફૂલ અને માલા ઈત્ર શેકેલા ચણા, ગોળ, પાનનો બીડો, નારિયેળ, કેળા, સરસવનુ તેલ, ચમેલીનો તેલ, ઘી, તુલસી પત્ર, દીવો, ધૂપ અગરબત્તી, કપૂર વગેરે. 
 
પૂજા વિધિ 
આ દિવસે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે ચોમુખી દીવો પ્રગટાવો. તે સિવાય હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. 
હનુમાનજીને ગેંદા, કનેર, ગુલાવના ફૂલ અર્પિત કરો. 
પ્રસાદમાં માલપુઆ, લાડુ, ચૂરમા, કેળા, અમરૂદ વગેરેનો ભોગ લગાવો. 
હનુમાનજીની ફોટાની સામે ઘીનો દીવો પ્રગટાવો. 
હનુમાનજીને સિંદૂરનો ચોલા ચઢાવો તેનાથી મનોકામના તરત જ પૂર્ણ હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર