Sawan Prasad Recipe: શ્રાવણ મહીનો શરૂ થઈ ગયો છે. ભોળાનાથના ભક્ત તેને મનાવવા માટે આ આખુ મહીના ભક્તિમા રહે છે.ભગવાન શંકરની પૂજાના દરમિયાન શિવલિંગની પૂજાના દરમિયાન શિવલિંગ પર પંચામૃત ચઢાવાય છે. આટલુ જ નહી આ પંચામતને પ્રસાદના રૂપમાં લોકોને વહેચાય પણ છે. પંચામૃતનો મહતવ માત્ર ધાર્મિક દ્ર્ષ્ટિથી જ નહી પણ તેના સેવન કરવાથી વ્યક્તિના આરોગ્યથી સંકળાયેલા ઘણા લાભ મળે છે. તેથી વગર મોડુ કરી જાણીએ છે કે કેવી રીતે બને છે પંચામૃત
પંચામૃતનો મહત્વ
પંચામૃતમાં પાંચ વસ્તુઓને શામેલ કરાય છે. જેનો આરોગ્ય અને ધાર્મિક દ્ર્ષ્ટિથી તેમનો એક ખાસ મહત્વ છે. ધાર્મિક દ્ર્ષ્ટિથી જોઈએ તો દૂધ શુદ્ધ અને પવિત્રતાનો પ્રતિનિધિત્વ કરે છે. તો તેમજ ઘી શક્તિ અને જીત માટે છે. મધ મધમાખી આપે છે તેથી આ સમર્પણ અને એકાગ્રતાના પ્રતીક છે. ખાંડ મિઠાસ અને આનંદ તો દહીં સમૃદ્ધિનો પ્રતીક ગણાય છે. વાત જો આરોગ્યની કરીએ તો તેનો સેવન કરવાથી વ્યક્તિને ઘણા લાભ મળે છે. આવો જાણીએ શું છે પંચામૃત બનાવવાની રીત અને તેનો સેવન કરવાથી આરોગ્યને મળતા ફાયદા વિશે
- સમારેલા મખાણા અને ડ્રાઈ ફ્રૂટસ
પંચામૃત બનાવવાની વિધિ-
પંચામૃત બનાવવા માટે સૌથી પહેલા દહીં, દૂધ, મધ, ઘી અને ખાંડને એક વાસણમાં નાખી સારી રીતે મિક્સ કરી લો. તમે ઈચ્છો તો તેને મિક્સરમાં પણ એક વાર ઘુમાવી શકો છો.