વડોદરા શહેરના બે જુથો વચ્ચે ઉગ્ર પથ્થરમોરો થયો. તોફાનીઓએ 10થી વધુ વાહનોને આગચંપી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નોંધપાત્ર છે કે, શહેરમાં ગણેશોત્સના પ્રારંભે પણ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આખી ઘટના પાછળ સોશિયલ મીડિયા જવાબદાર છે. ઇન્ટરનેટ ઉપર મુસ્લીમોના પવિત્ર ગણાતા મક્કા મદીનાના ફોટા ઉપર હિન્દુ ભગવાનનો ફોટો લગાવ્યો હતો. કારણે એક કોમની ધાર્મિક લાગણી દુભાતા મોટું ટોળું રસ્તા પર આવી ગયું હતું.