ઉલ્લેખનીય છે કે આ પહેલા એક ગુમનામ પત્ર દ્વારા ગુજરાત આવેલ બે અન્ય વિખ્યાત મંદિર બનાસકાંઠા જીલ્લાના અંબાજી શક્તિપીઠ અને અરાવલ્લીના શામળાજીના વિષ્ણુ મંદિરને પણ ઉડાવવાની બે ઓક્ટોબરના રોજ ધમકી મળી હતી. જો કે મંદિરોમાંથી કોઈ વિસ્ફોટક મળ્યો નથી. ત્યા સાવધાનીને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. આ પત્ર વડોદરાના રાવપુરા પોલીસ મથકને મળ્યો હતો.