પ્રાપ્ત માહીતી મુજબ સુરતની કવિશ્રી પારેખ વિદ્યાલયના વિદ્યાર્થીઓને લઇને શિક્ષકો તા.18થી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની શ્રીનાથ ટ્રાવેલ્સની ડબલ ડેકર બસ નં. જી.જે.પ ઝેડ-2193 સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ દરિયા કિનારે પિકનીક મનાવીને પરત ફરી રહયા હતા ત્યારે કેશોદના અગતરાય પાસે આ સ્કુલ બસ ડીવાઇડર સાથે અથડાતા ઉંધી વળતા 3 છાત્રા અને 2 રસોઇયા બહેનો સહિત પના ઘટના સ્થળે મોત નિપજયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સેવાભાવી લોકો અગતરાય ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ અકસ્માતમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાત્કાલીક કેશોદ અને જુનાગઢ હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.