પીએમ મોદી અચાનક જ માતા હિરાબાના આશિર્વાદ લેવા માટે પહોંચી ગયા

શનિવાર, 10 ડિસેમ્બર 2016 (14:47 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, નરેન્દ્ર મોદી ડીસાથી ગાંદીનગર પહોચ્યા ત્યાંથી સીધા કોઈ પણ નિર્ધારિત કાર્યક્રમ સિવાય માતા હિરાબાને મળવા રાયસણ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે માતાની તબિયત અંગે વાત કરી હતી. જ્યારે માતાએ પુત્રને આશિર્વાદ આપ્યા હતાં. ભાજપના પ્રદેશના નેતાઓ અને કાર્યકરોને સંબોધન કરી આગામી 2017ની ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. જ્યારે આ ઉપરાંત નોટબંધી અને કેન્દ્ર સરકારના નિર્ણયો અંગે ગુજરાત ભાજપના નેતાઓને અવગત કરી તેમની પાસેથી સૂચનો પણ મેળવશે. તથા ડિજિટલ ટ્રાન્ઝેકશન્સ માટે પ્રેરિત કરશે.

વેબદુનિયા પર વાંચો