સિંહણના હુમલામાં ઘવાયેલ મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યા તેમને 35 ટાંકા આવ્યા હતા. એક બીજી મહિલા પર હુમલો કરી દેતા તેમણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમરેલીના ડેપ્યુતી કન્ઝરવેટર એમ આર ગુર્જર કહે છેકે શેત્રુંજી નદીમાં પાણીનું લેવલ વધી ગયુ હોવાને કારણે બંને સિંહણો બચવા માટે મંદિરમાં ઘુસી ગઈ હશે.
બીજા એક બનાવમાં અમરેલીના ભવાડી ગામના ખેતરમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહણના મૃતદેહને ધારેના પશુ ચિકિત્સાલયમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. એવુ કહેવાય છેકે નદીના પુરમાં ડુબી જવાથી સિંહણનુ મોત થયુ છે. ક્રાક્રીય વિસ્તારમાં પણ એક સિંહણ તણાઈ આવી હતી. જેનુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ.