- ભાવનગરમાં પણ બંધના પડઘા પડ્યા... કેટલાક સ્થાન પર પત્થરમારો
- પિડીત દ્વારા દલિત સમાજને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી
- ગુજરાતમાં દલિતો પર અત્યાચાર વધ્યા છે - શંકરસિંહ સોલંકી
- અમદાવાદ - અમરાઈવાડીમાં ટોળાનો પત્થરમારો
- સ્વસ્તિક ચાર રસ્તા પાસે પત્થરમારો ટોળાને વિખેરવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા
- બોટાદ - શહેરમાં 144 કલમ લાગૂ કરવામાં આવી 29 જુલાઈ સુધી શહેરમાં 144 કલમ લાગૂ કરવામાં આવી
- અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં શાંતિ જાળવવા માટે કરી અપીલ
- આલીમની ખડકી પાસે થયો પત્થરમારો ..
- આનંદીબેન પટેલ રાજકોટની મુલાકાતે
- અમદાવાદ - દલિત અત્યાચાર મામલે ગુજરાત બંધ. દલિત પેન્થર પાર્ટી દ્વારા આપવામાં આવ્યુ હતુ બંધ
- ઉના ઘટનાને પગલે 40થી 50 લોકો ઉપવાસ પર ઉતર્યા છે. દલિતોની એવી માંગ છે કે મુખ્યમંત્રી ઉપવાસ છાવણીની પણ મુલાકાત લે અને ઉપવાસ પર બેઠેલા લોકોની માંગ સાંભળે. સમગ્ર ઉના અને સમઢીયાળા પંથક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
- ગુજરાત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉનાનું સમઢીયાળા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર સહિત બીજા જીલ્લા પણ બંધમાં જોડાયા હતા.
- સરખેજમાં દેખાવો કરતા 20 લોકોની અટકાયત કરાઈ
- ચાંદલોડીયામાં દલિતો રસ્તા પર, મહિલાઓ થાળી-વેલણ સાથે જોડાઇ
- સૈજપુર વિસ્તારમાં ચક્કાજામ, ટોળાએ BRTS અને વહાનો રોક્યાં
- અમદાવાદની 138 નંબરની બસ પર શારદાબેન હોસ્પિટલ નજીક પથ્થરમારો
- અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું છે
- કલાપીનગરમાં ટોળાએ શાળાઓ, AMTSની બસો પણ બંધ કરાવવામાં આવી છે.
- જુનાવાડજ ચાર રસ્તા પાસે દલિત આગેવાન 10 વાગે જુનાવાડજ ચક્કાજામ કરી શકે છે.
- આજના ગુજરાત બંધને જન સંધર્ષ મંચ સાથે જોડાયેલા અમદાવાદ મહાનગર નિગમના સફાઈ કામદારો સમર્થનમાં. સફાઈ કામદર પોતાનું કામ આજે નહીં કરે અને રસ્તાઓ પર સફાઈ નહીં કરે.
-દાણીલીમડા, બહેરામપુરા સંપૂર્ણ બંધ
-શહેરકોટડા ડી સ્ટાફ ઓફિસની બહાર ટોળાએ ટાયર સળગાવ્યાં
-ચાંદખેડામાં લોકો રેલી બાદ રસ્તા પર જ બેસી ગયા, મોટાભાગની દુકાનો બંધ
- ગૃહરાજ્યમંત્રી રજની પટેલે શાંતિ જાળવવાની અપીલ કરી
- ઉના - શ્રીમંતી આનંદીબેન પટેલ ઉનામાં પીડીતોને મળ્યા પીડીતોએ આનંદીબેન સામે કરી રજૂઆત
- અમદાવાદ પોલીસ બંદોબસ્ત જાળવવા ખડેપગે
કાલે બપોરે જૂનાગઢ જિલ્લાના બાંટવામાં 3 દલિત યુવાનોએ ઝેરી દવા પી લીધી હતી. જ્યારે બપોર બાદ ગોંડલના બિલિયાળામાં 2 દલિતોએ એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંનેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. સાંજના સમયે કેસોદમાં વધુ બે દલિત યુવાનોએ દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે અમદાવાદમાં દલિત પેન્થર રેલીમાં પણ દલિત યુવકે આત્મવિલોપનની કોશિશ કરી હતી. ભેંસાણના ખંભાળીયા ગામમાં પણ એક દલિત યુવાનનું દવા પીવાથી મોત થયું છે. આ દલિત યુવકનું નામ હેમંત ભિખા સોલંકી હતી. જેણે સાંજના સમયે દવા પીધી હતી જેનાથી તેનું મોત થયું હતું. ગઇકાલે સવારે ગોંડલમાં પાંચ અને બપોર બાદ જામકંડોરણામાં 2 દલિતોએ જાહેરમાં ઝેરી દવા પી લીધી હતી. આમ આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાતમાં હિંસા - પાટણમાં એકઠા થયેલા લોકોના ટોળાએ મોડિ રાત્રે ટાયર સળગાવ્યા છોડ્યા હતાં. પાટણ- ચાણસ્મા હાઈવે પર પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેતપુરમાં બંધ કરાવા નિકળેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. ભાયાવદરમાં દલિતોએ રેલી કાઢીને આવેદન આપ્યું હતું. રાજકોટમાં મોડીરાત્રે સડક પર ટાયરો સળગાવાતાં સ્થિતી તંગ બની ગઈ હતી. ગોંડલના મોવિયા ગામે ટોળાએ એસટી બસના કાચ ફોડ્યા હતા. જામનગરથી જૂનાગઢ, મોરબી તરફ જતી બસ, અમરેલી ડેપો, ગોંડલ ડેપો, ધ્રોલ, ઉના, ગીર-સોમનાથ, કોડીનાર, તાલાલામાં એસટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી. ભાવનગર જિલ્લામાં પણ લોકોએ રસ્તા પર બેસી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દલિતો સ્થળ પરથી ખસ્યા ન હતા.
જૂનાગઢ: ઉનાના સામઢીયાળામાં દલિત યુવાનો ઉપર અત્યાચારના વિરોધમાં મંગળવારે સમગ્ર રાજ્યમાં દલિતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો.
મંગળવારે પણ 14 દલિત યુવાનોએ અલગ-અલગ જગ્યાએ ઝેરી દવા અને એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનારા યુવાનોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
આજે એટલે કે બુધવારે ગુજરાત બંધનું એલાન કર્યુ છે.
અમરેલીમાં પથ્થરમારામાં ઘવાયેલા એક કોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલીયાનું મોત થયું હતું. ભારતીય દલિત પૈન્થર સમાજ દ્વારા બુધવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. પથ્થરમારાની ઘટનામાં જિલ્લા પોલીસ વડા, પીઆઈ સહિત પાંચ પોલીસ કર્મી ઘાયલ થયા હતા. સામઢીયાળાની ઘટનામાં પોલીસે વધુ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 16 શખ્સોની પોલીસે અટકાયત કરી છે.