મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના ઘારાઈ ગામમાં રહેનારા અરવિંદ ભૂપતભાઈ નાગાણી આજે સવારે કપાસનો પાક વેચવા માર્કેટયાર્ડ ગયો હતો પણ તેને પાકની ખૂબ જ ઓછી કિમંત મળી. આ વાતથી ક્ષુબ્ધ ભૂપતે માર્કેટયાર્ડમાં જ કીટનાશક પી લીધી અને ત્યારબાદ પોતાની પર કેરોસિન છાંટીને આગ લગાવી લીધી. ભૂપતને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યા તેની હાલત ગંભીર બનેલી છે.