પેટાચૂંટણીઓમાં બધી બેઠકો જીતીને નરેન્દ્ર મોદીને બર્થ-ડે ગિફ્ટમાં આપોઃ આનંદીબહેન

સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (15:54 IST)
ખંભાળિયામાં જાહેર સભાને સંબોધતાં ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ગુજરાતની પેટાચૂંટણીઓમાં વિધાનસભાની નવ અને લોકસભાની એક બેઠક જીતીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બર્થ-ડે ગિફ્ટ આપવાની હાકલ કરી હતી.

ગુજરાતમાં ૧૩ સપ્ટેમ્બરે વડોદરા લોકસભા બેઠક તેમ જ ડીસા, મણિનગર, ટંકારા, ખંભાળિયા, માંગરોળ, તળાજા, આણંદ, માતર અને લીમખેડા (શેડ્યુલ ટ્રાઇબ) વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે અને ૧૬ સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે છે.

ખંભાળિયામાં જાહેર સભાને સંબોધતાં આનંદીબહેન પટેલે કહ્યું હતું કે  ‘પેટાચૂંટણીઓમાં તમામ  બેઠકો પર કમળ ખીલવીને નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપવાની છે. વિપક્ષના અપપ્રચારને લોકસભાની ચૂંટણીઓમાં જનતા જનાર્દને જાકારો આપ્યો છે. પેટાચૂંટણીઓમાં પણ જુઠ્ઠાણાંની ભરમાર સામે સત્યનો વિજય થશે.’

વેબદુનિયા પર વાંચો