સાંવરકુંડલાના ગાધકડા ગામ પાસે એસટી બસ પલટીઃ 108 ઘટના સ્થળે પહોંચીઃ બચાવ કામગીરી શરૂ

શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (12:31 IST)
સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ પાસે એસ.ટી. પલ્ટી જતા 10 વ્યકિતના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યુ છે. ઉપલેટા-મહુવા રૃટની એસ.ટી. બસ ઉપલેટાથી મહુવા તરફ જઇ રહી હતી ત્યારે બપોરના આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યુ છે.

   અકસ્માતની જાણ થતા જ અમરેલી-સાવરકુંડલા, રાજુલામાંથી 108 એમ્બ્યુલન્સોને ઘટના સ્થળે દોડાવીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે

વેબદુનિયા પર વાંચો