રૂપાલાનાં ઘરે યજ્ઞ

વેબ દુનિયા

બુધવાર, 8 એપ્રિલ 2009 (12:54 IST)
એનડીએનાં વડાપ્રધાનપદનાં ઉમેદવાર લાલકૃષ્ણનાં વિજય માટે પ્રદેશ પ્રમુખ પુરૂષોત્તમ રૂપાલાનાં ઘરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અડવાણીએ આહૂતિ આપી હતી.

અડવાણી આજે પોતાનું ઉમેદવારી પત્રક ભરવાના છે. તેથી તેમને ચુંટણીમાં ભવ્ય વિજય મળે તે માટે યજ્ઞનું આયોજન કર્યું છે. વિજય માટે યજ્ઞનું આયોજન કર્યુ છે. જેમાં નરેન્દ્ર મોદી, પુરૂષોત્તમ રૂપાલા સહિત ગુજરાત ભાજપનાં વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

આ યજ્ઞમાં લાલકૃષ્ણ અડવાણી અને તેના પત્ની હાજર રહ્યા હતા. તેમણે યજ્ઞમાં આહૂતિ આપી હતી. આ યજ્ઞ બાદ અડવાણી પોતાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જશે. ત્યારબાદ તેઓ ઉમેદવારી પત્રક ભરશે.

વેબદુનિયા પર વાંચો