મોરારી બાપુ કરશે કેટવોક !

વેબ દુનિયા

બુધવાર, 31 ડિસેમ્બર 2008 (12:09 IST)
P.R

પોતાની રામકથાને કારણે જાણીતા ગુજરાતનાં જાણીતા સંત મોરારી બાપુ હવે નવા અવતારમાં જોવા મળશે. તેફેશશોમારેમ્કેટવોકરતાનજરપડશે.

કથાકાર મોરારી બાપુ ખાદી કપડાંનાં પ્રમોશન માટે ખુદ રેમ્પ પર કેટવોક કરશે. 30 જાન્યુઆરીએ ગાંધીજીની પુણ્યતિથિનાં રોજ રાજકોટનાં રેસકોર્સ મેદાન પર યોજાનાર ખાદીનાં ફેશન શોમાં બાપુ ભાગ લેશે.

આ ફેશન શોનું નામ વસ્ત્ર પરિધાન ઉત્સવ છે. જે રાજકોટનાં ફ્રેન્ડ્સ ક્લબ, કેન્દ્રીય ખાદી ગ્રામોદ્યોગ ઈન્ડ્રસ્ટ્રીઝ કમિશને સંયુક્ત રીતે આયોજીત કર્યું છે. જેને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા સહયોગ કરવામાં આવશે.

આ શોમાં કેટવોક કરવા જ્યારે મોરારી બાપુને પ્રસ્તાવ મુકવામાં આવ્યો, ત્યારે તેમણે તરત જ હા પાડી દીધી હતી.

વેબદુનિયા પર વાંચો