મોદી જો સુપ્રીમમાં જશે તો યેદિયુરપ્પા જેવી હાલત થશે - ગોહિલ

બુધવાર, 18 જાન્યુઆરી 2012 (18:30 IST)
P.R

આ અંગે માધ્યમોને પ્રતિક્રિયા આપતા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સત્યનો વિજય થયો છે. કર્ણાટકના ભષ્ટ્રાચારી નેતા યેદિયુરપ્પા કરતા પણ મોદીરપ્પા એટલે કે નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચાર વધારે છે. મોદી યેદિયુરપ્પા કરતા વધારે મોટા કૌભાંડી છે.

ગુજરાત સરકાર આ હાઇકોર્ટના નિર્ણયને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જશે તો..? તેવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે જો મોઢું કાળુ કરવાનો વધારે શોખ હશે તો તેઓ સુપ્રીમમાં જશે.

વેબદુનિયા પર વાંચો