મોદી અને અડવાણી વચ્ચે વિશેષ મુલાકાત

ભાજપનાં વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી અને ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગાંધીનગર ખાતે મુલાકાત યોજાઇ હતી. બંને નેતાઓએ લગભગ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આજે રાષ્ટ્રીય ભાજપનાં નવા હોદ્દેદારોની જાહેરાત થવાની હતી, તે આવતીકાલ પર મુલતવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સાથે જ આગામી દિવસોમાં મહત્વનાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે સંગઠન બાબતે પણ બંને દિગ્ગજ નેતાઓએ ચર્ચા-વિચારણા કરી હતી.

હાલમાં યુપીએ સરકારમાંથી પણ તેમના સાથી પક્ષો સમર્થન પરત લઇ રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતી અંગે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઇ હોવાનું માનવામાં આવે છે

વેબદુનિયા પર વાંચો