મહુડી મંદિરને ઉડાવી દેવાની ધમકી

વેબ દુનિયા

શનિવાર, 30 ઑગસ્ટ 2008 (10:24 IST)
વિજાપુર. જૈનાના પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે મહુડી સ્થિત જૈનોના પવિત્ર મંદિરને બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળતાં દહેશત ફેલાઇ ગઇ હતી. જોકે તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ વસ્તુ મળી ના આવતાં હાશકારો થયો હતો.

આ અંગે માણસા પોલીસ મથકના પી.એસ.આઇ વી.કે.ડેલવાણીયાએ જણઆવ્યું હતું કે, આજે બપોરે 12 વાગ્યાના અરસામાં વિજાપુર નગરપાલિકા પ્રમુખના નામે એક પત્ર આવ્યો હતો. જેમાં ગુજરાતી ભાષામાં લખ્યું હતું કે, મહુડી મંદિરમાં બોમ્બ મુકેલો છે. મંદિર તુરંત ખાલી કરાવી દો.

આ પત્ર વાંચતાં પ્રમુખે તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેને પગલે બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો મંદિર સંકુલમાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે કોઇ શંકાસ્પદ વસ્તુ ના મળતાં સૌએ રાહતનો દમ લીધો હતો.

વેબદુનિયા પર વાંચો