મનમોહન ગુજરાતનાં પ્રવાસે

ભાષા

શનિવાર, 25 એપ્રિલ 2009 (18:56 IST)
વડાપ્રધાન મનમોહનસિંહ ચુંટણી પ્રચાર અર્થે રવિવારે ગુજરાત આવશે. તે અમદાવાદ અને સુરતમાં બે જનસભાઓ સંબોધશે.

અમદાવાદમાં મનમોહનસિંહની સભા પાલડી ખાતે બપોરે 2.30 કલાકે યોજાશે. તો આ બાજુ કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી 27 અને 28 એપ્રિલનાં રોજ ગુજરાત આવે, તેવી સંભાવના છે. જ્યાં તેઓ રોડ શો કરશે.

શુક્રવારે સોનિયા ગાંધીએ ગુજરાતનાં રાજકોટનાં જેતપુર, વડોદરાનાં હાલોલ અને મહેસાણાનાં ખેરાલુમાં જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે ભાજપનાં શાસનની ટીકા કરી હતી.

વેબદુનિયા પર વાંચો