ભાજપમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બળવો

વેબ દુનિયા

મંગળવાર, 17 જુલાઈ 2007 (17:02 IST)
અમદાવાદ (વેબદુનિયા) 17 જુલાઇ મંગળવાર. ભાજપાનાં ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર અને ધીરૂભાઇ ગજેરાએ ભાજપા અધ્યક્ષ રાજનાથસિંહને મોકલેલા પત્રમાં મોદી પર તાનાશાહીનો આરોપ લગાવ્યો છે રાજ્ય સરકાર અને તેનાં મંત્રિઓની ઉદ્યોગપતિઓ સાથે સાંઠગાંઠ છે. બાગીઓએ પત્રની નકલ રાજ્યપાલને પણ આપી છે.

પરમાર અને ગજેરાએ કહ્યું છે કે મોદી પોતાના સ્વાર્થ માટે કોઇ પણ હદ્દે જઇ શકે છે. એટલુંજ નહીં આ વર્ષના અંતમાં યોજનાર ધારાસભ્યની ચૂંટણી પહેલા તેઓ ગોધરા કાંડ જેવી ઘટનાને ઘડી શકે છે.

બળવાખોરોએ લોકસભાનાં વિપક્ષના નેતા લાલકૃષ્‍ણ અડવાણીને પણ છોડ્યા ન હતાં. તેમણે જણાવ્યું કે મોદી અને અડઠવાણીએ રાજ્યમાં ભાજપને પ્રા.લિ. કંપની બનાવી દીધી છે. બંને નેતાઓએ જણાવ્યું કે અડવાણી ધૃતરાષ્‍ટ્રની ભૂમિકા નિભાવી રહ્યાં છે.

વેબદુનિયા પર વાંચો