હાઇકોર્ટે ગુજરાતના ડીજીપીના પદે પીસી પાંડેની નિમણુંકની સામે કરવામાં આવેલી અરજીને આજે ગેરજરૂરી ગણાવી તેને રદ કરી હતી. એક બિન સરકારી સંગઠને સિટીજન્સ ફોર જસ્ટીસ એન્ડ પીન્સે વર્ષ 2006માં ડીજીપીના પદે પાંડેની કરવામાં આવેલી નિમણુંકને પડકારી હતી.
આ સ્વૈચ્છિક સંસ્થાની દલીલ હતી કે ગોધરાકાંડ નરસંહાર બાદ રાજ્યમાં ભડકેલા કોમી તોફાનો સંબંધિત કેટલીક ફરિયાદો પાંડે વિરૂધ્ધ થયેલી છે. જોકે ન્યામૂર્તિ માર્કડેય કાટજૂ અને વી એસ સિરપરકરની પીઠે આ અરજી પર સુનાવણી કરી હતી અને અરજીને ગેર જરૂરી ગણાવી રદ કરી હતી.