સૂત્રોના જણાવ્યા અનુસાર દામોદરકુંડમાં શ્રદ્ધાળુઓ ધાર્મિકવિધિ કરાવવા આવતા હોય છે. તેમ જ તેમાં સ્નાન કરીને પવિત્ર થતા હોય છે ત્યારે આ કુંડમાં મહાકાય મગર દેખાતા જ શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આસપાસની તળેટીની ચટ્ટાનોમાંથી આ મગર કુંડ સુધી કેવી રીતે પહોંચ્યો તેનું રહસ્ય પણ અકબંધ રહ્યું હતું.