નરેન્દ્ર મોદી ઘોડે ચડ્યા !

વેબ દુનિયા

રવિવાર, 28 ડિસેમ્બર 2008 (23:34 IST)
W.DW.D

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના 11માં મેગા કામા અશ્વ શૉનું ગાંધીનગરમાં શાનદાર ઉદઘાટન કરતાં 'અશ્વના પુરાતન વ્યવસાય-ઉદ્યોગ તરીકે વિરાસતને પુન:જીવીત કરવાનો અને 'અશ્વદર્શન'ને પ્રવાસન આકર્ષણ રૂપે વિકસાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

અશ્વ શૉના પ્રવેશ દ્વારથી નરેન્દ્ર મોદીએ અસલી કાઠિયાવાડી અશ્વ ઉપર સવારી કરીને સભામંડપમાં આવ્યા હતાં અને અશ્વો તથા તેના પાલકોની પાસે જઈને શુભેચ્છાઓ પાઠવી હતી.

તદઉપરાંત કાંકરિયા કાર્નિવલમાં યોજાયેલી શ્રેષ્ઠ અશ્વ પરેડમાં વિજેતાઓને મુખ્યમંત્રીએ ઈનામો અને ટ્રોફી એનાયત કર્યા હતાં.

વેબદુનિયા પર વાંચો