જૈન મંદિરમાંથી રૂ. 20લાખની ચોરી

નઇ દુનિયા

રવિવાર, 10 ફેબ્રુઆરી 2008 (19:26 IST)
હાટપીપલ્યા(એજન્સી) મધ્યપ્રદેશના હાટપીપલ્યા શહેરમાં આવેલા આદિનાથ દિગંબર જૈન મંદિરમાં શુક્રવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ તિજોરી, દાન પેટી અને ભગવાનની મુર્તી સહિત અનેક વસ્તુઓને નુકસાન પહોંચાડી રોકડ તથા દાગીના મળી કુલ રૂપિયા 20 લાખની મતા ચોરી કરતાં હાહાકાર મચી ગયો હતો. મંદિરમાં થયેલી ચોરીની જાણ થવા છતાંય મોડી પહોંચેલી પોલીસના વિરોધમાં આજે સમગ્ર શહેરમાં બંધ પાળવામાં આવ્યુ હતુ.

મંદિરના સંચાલક દ્વારા આ બાબતની જાણ ગૃહમંત્રીને કરવામાં આવી હતી. તેમ છતાંય પોલીસ સ્થળ પર સમયસર પહોંચી ન હતી. રોષીત થયેલા સ્થાનીક લોકોએ આજે એસડીએમને આવેદન પત્ર આપી 48 કલાકમાં જ આરોપીઓને પકડવાની રજુઆત કરી હતી. જો બે દિવસમાં આરોપીઓ નહીં પકડાય તો, ઉગ્ર આંદોલન કરવાની ચિમકી તેઓએ ઉચ્ચારી હતી.

વેબદુનિયા પર વાંચો