જન્માષ્ટમીની ઉત્સાહપૂર્વક ઉજવણી

શનિવાર, 4 સપ્ટેમ્બર 2010 (14:36 IST)
P.R
અમદાવાદ સહિત સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ભારે ઉત્સાહ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. આઠમના પવિત્ર દિવસે શ્રધ્ધાળુઓએ ગરબા સત્સંગનુ આયોજન કરી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો. રાત્રે 12 વાગ્યાના ટકોરે ઈસ્કોન, દ્રારકા અને મથુરા સહિતના શ્રીકૃષ્ણધામો મંદિરો નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયાલાલકીના નાદથી ગૂંજી ઉઠ્યા હતા.

સાતમ-આઠમ નિમિત્તે પ્રજાજનોએ સત્સંગ, ગરબામ મેળા અને શોભાયાત્રા યોજી જન્માષ્ટમી પર્વની અનેરા ઉત્સસહથી ઉજવણી કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે ચારેબાજુ ભવ્ય આધ્યાત્મિક વાતાવરણ છવાયુ હતુ. યુવાનો વડીલો અને બાળકો સહિત સૌ કોઈએ પર્વની ઉજવણી કરવા આગાઉથી જ તૈયારી કરી હતી.

વેબદુનિયા પર વાંચો