સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યુ, 'દેશમુખની અનિયમિતતા સંબંધી વાત પાયા વગરની છે. કેન્દ્રએ ગુજરાત પર વારંવાર આંગળી ચીંધવાની હરકતોને બંધ કરી દેવી જોઈએ.' વ્યાસે અહી આપેલ એક નિવેદનમાં કહ્યુ, 'ગ્રામીણ ગરીબોને માટે યોજનાઓના અમલીકરણમાં ગુજરાતના રેકોર્ડમાં શંકાને કોઈ સ્થાન નથી અને તેના રેકોર્ડની યોજના આયોગ અને વિશેષજ્ઞો પ્રશંસા કરી ચૂક્યા છે.'