ગરીબ કલ્યાણ મેળાનો કોંગ્રેસ દ્વારા વિરોધ

બાપુનગર ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરતા મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને અગ્રણીઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. જ્યારે કાર્યકરોને વિખેરવા લાઠીચાર્જ કરાયો હતો.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શાસ્ત્રીનગર, સંજયનગર, જનતાનગર, ચાંદાભાઈની ચાલી વગેરે વિસ્તારના ઝૂંપડા તોડવાની અંતિમ નોટીસ મળતા આ ઝુંપડવાસીઓને સાથે રાખી બાપુનગર વિસ્તારમાં અમદાવાદ શહેર કોંગ્રેસની આગેવાની હેઠળ ગરીબ ઝૂંપડાવાસીઓ સરકારી ગરીબ કલ્યાણ મેળાનો વિરોધ કરવા બાપુનગર પાસે એકત્રિત થયાં હતાં ત્યારે સરકારના ઈશારે પોલીસતંત્ર દ્વારા નિર્દોષ ઝૂંપડાવાસીઓ અને કોંગ્રેસના કાર્યકરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત લાઠીચાર્જ કરનાર પુરૂષ પોલીસ કર્મીઓએ કોંગ્રેસી મહિલા કાર્યકરોને ધક્કે ચઢાવીને અશોભનીય વર્તન કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો