કાશ્‍મીરમાં ગુજરાત ટુરીઝમની ફોર્મ્‍યુલા અપનાવવાની સલાહ

બુધવાર, 15 મે 2013 (11:56 IST)
P.R

કોંગ્રેસના એક પ્રધાને ફરી વખત ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના વખાણા કર્યા છેઃ કાશ્‍મીરના પ્રવાસન મંત્રી ગુલામ અહેમદ મીરે મોદીની ભરપુર પ્રશંસા કરી છેઃ મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લાના વડપણ હેઠળ યોજાયેલી એક બેઠકમાં તેમણે કાશ્‍મીરમાં ગુજરાત ટુરીઝમની ફોર્મ્‍યુલા અપનાવવાની સલાહ આપી હતી. મીરે કહ્યુ હતુ કે, મોદીએ રણ પ્રદેશ એવા ગુજરાતને મોટાપાયે પ્રવાસનના નકશા ઉપર લાવી દીધુ છેઃ મોદીએ જે રીતે પ્રવાસનને વિકસાવ્‍યુ છે તેનાથી ઇન્‍વેસ્‍ટરો ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ડેવલોપમેન્‍ટ માટે ગુજરાત આવી રહ્યા છેઃ આ બેઠકમાં કાશ્‍મીર માટે પ્રવાસન નીતિ ઘડવા કવાયત હાથ ધરવામાં આવી હતી

વેબદુનિયા પર વાંચો