રાયમાં જમીનોના ભાવો આસમાને જતાં તેને બિન ખેતીની કરવા કે અન્ય કામો માટે ગાંધીનગરની મંજૂરી લેવાની ફાળોનો મોટો ભરાવો થઈ જતો હતો. તેથી રાયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વહીવટને સરળ કરવા અને ઝડપી કામ થાય તે માટે રૂા.૫ કરોડ સુધીની જમીનોને બિન ખેતીની કરવા કે અન્ય મંજુરીઓ માટેની સતાઓ રાયના ૩૩ કલેકટરોને સોંપી છે. જેનાથી રીયલ એસ્યેટના કામોમાં ઝડપ આવતા નિકાલ ઝડપી બનશે. ગાંધીનગરમાં હજારો ફાઈલોનો ભરાવો થઈ જતો હતો તે એક જ નિર્ણયથી હવે ગાંધીનગરનું ભારણ ઘટશે. જો કે, પાંચ કરોડથી વધુની કિંમતની ખેતીની જમીનોને ગાંધીનગરથી જ મંજુરી મળશે.
મુખયમંત્રી આનંદીબેન પયેલે સોમવારે નિર્ણય લઈને ગાંધીનગર ઓછામાં ઓછી ફાઈલો સાથે અને રસ્તાનું કેન્દ્રીકરણ કરવાના બદલે વિકેન્દ્રીકરણ કરીને જિલ્લા મથકોએ જ આવી ફાઈલોનો નિકાલ થાય તે જરૂરી છે. બે કરોડ સુધીની જમીનોના બિનખેતીની મંજુરી કલેકટર આપતા હતાં. પાંચ કરોડની જમીનનું ૪૦ ટકા લેખે રૂા.૨ કરોડ સુધીનું પ્રિમિયમ હવે કલેકટરો વસુલ કરી શકશે.