.
શનિવારે ઈંટરનેશનલ વ્હેલ શાર્ક ડે નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા હાજર અગ્રવન સંરક્ષક ડો. સી.એન.પાંડેએ કહ્યુ કે ગુજરાતમાં લાંબા સમયથી વ્હેલ શાર્ક સંરક્ષણ માટે પ્રયાસો થઈ રહ્યા છે. જેમા 10 વર્ષમાં 412 વ્હેલ શાર્કને રેસ્ક્યુ કરવામાં આવી. જે વ્હેલ શાર્ક માછીમારો દ્વારા પથરાયેલ જાળમાં અકસ્માતે ફસાય જતી હોય છે તેવી વ્હેલ શાર્કને બચાવી લેવામાં આવી. જે અમારી માટે સિદ્ધિ સમાન છે. .