આણંદના ઉમરેઠમાં આજે એક મસ્જિદ પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને કોમી એકતાને ખંડિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
કોઈ અજાણ્યા શખ્સોએ અત્રે આવેલી મસ્જિદ પર વહેલી સવારે પાકિસ્તાનના બે રાષ્ટ્રધ્વજ લગાવી દીધા હતાં જે અંગેની જાણ સરકારી અધિકારીઓને થતાં તેઓએ ત્વરિત ધોરણે મસ્જિદ પર ફરકાવેલા ધ્વજને ઉતારી લીધો હતો. ધ્વજ કોણે ફરકાવ્યો તે હજુ જાણવા મળી શક્યું નથી.