અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના નેતા સુખદેવ પટેલને ટક્કર મારી કારચાલક નાસી છૂટ્યો

શુક્રવાર, 4 એપ્રિલ 2014 (12:01 IST)
P.R
ગુજરાત આમ આદમી પાર્ટીના સંયોજક સુખદેવ પટેલ આજે સવારે ઘરેથી ઓફીસ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના ટુ વ્હીલરને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેમાં સુખદેવભાઈને હાથમાં બે ફ્રેક્ચર થયા છે. જે બાદ સુખદેવ પટેલને ચિંતન હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સમાચાર પ્રાપ્ત થતાં આપના કાર્યકરો હોસ્પિટલ ખાતે તેમના ખબરઅંતર પૂછવા દોડી ગયા હતા.

જો કે આ બાબાતે સુખદેવ પટેલને કારે ટક્કર મારી દેતાં અનેક અટકળો ચાલી રહી છે. જોકે પોલીસ તપાસ દરમ્યાન માલુમ થશે કે આ એક અકસ્માત હતો કે પછી આયોજનબદ્ધ કાવતરૂં..

વેબદુનિયા પર વાંચો