અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી મૃતાંક નવ થયો

બુધવાર, 7 ઑક્ટોબર 2015 (14:15 IST)
અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુથી વધુ એકના મોત સાથે મોતનો આંકડો વધીને આજે ૯ ઉપર પહોંચી ગયો હતો.  અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના ૨૩૨૧ કેસ પૈકી ૨૮૩ કેસો પહેલી જુલાઈ બાદથી નોંધાયા છે. આ વર્ષે પણ સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત લોકોની સંખ્યા ખૂબ મોટી છે. પહેલી જાન્યુઆરીથી લઈને ૧૧મી એપ્રિલ વચ્ચેના ગાળામાં દેશભરમાં સ્વાઈન ફ્લુના કારણએ મોતના મામલામાં ગુજરાત સૌથી આગળ રહ્યું છે. અહીં મોતનો આંકડો પહેલી જાન્યુઆરીથી લઈને ૧૧મી એપ્રિલ વચ્ચેના ગાળામાં ૪૩૯ રહ્યો હતો. જ્યારે અસરગ્રસ્તોની સંખ્યા ૬૫૬૩ નોંધાઈ હતી

વેબદુનિયા પર વાંચો