આમ આદમી પાર્ટીની નેતા દિલીપ પાંડે એ ચિઠ્ઠી લખીને ફરિયાદ કરી હતી કે યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને શાંતિ ભૂષણ, અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્રી કરી રહ્યા છે. પ્રશાંત ભૂષણનું કહેવુ છે કે પાર્ટી પોતાના રસ્તેથી ભટકી રહી છે અને એક માણસના હિસાબથી જ બધુ થઈ રહ્યુ છે. પાર્ટીની અંદર લોકતંત્ર બચ્યુ નથી. બીજી બાજુ યોગેન્દ્ર યાદવનુ માનવુ છે કે તેમના અને અરવિંદ કેજરીવાલ વચ્ચે સંવાદ નહિવત છે. આ બેઠક દિલ્હીના કાપસહેડા બોર્ડરમાં થવાની છે.