સ્મૃતિના મહિષાસુર પર આપેલ નિવેદનને લઈને વિપક્ષે રાજ્યસભામાં જોરદાર હંગામો કર્યો. પોતાના ભાષણ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ જેએનયૂમાં દેવી દુર્ગાના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો. આજે પણ સ્મૃતિ ઈરાનીના આ નિવેદનને લઈને આજે સંસદમાં હંગામો થવાની શક્યતા છે. કોંગ્રેસે દેવી દુર્ગા વિશે આ રીતે ચિત્રણ કરવા પર સ્મૃતિ ઈરાની પાસે માફીની માંગ કરી છે. કોંગ્રેસે કહ્યુ કે માફી ન માંગવા પર સદન ઠપ કરી દેશે.
ઉલ્લેખનીય છેકે બુધવારે સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં પણ આ મુદ્દો પોતાના જવાબમાં સામેલ કર્યો હતો. ત્યારે વિપક્ષમાં કોઈને તેનો વિરોધ નહી કર્યો અને તેને સત્તા પક્ષ તરફથી વામદળો પર મોટા પ્રહારના રૂપમાં બતાવવામાં આવ્યા. આજે સ્મૃતિ રાજ્યસભામાં પણ લગભગ એ જ નિવેદન આપી રહી હતી કે સદનની અંદર કોંગ્રેસે આપત્તિ બતાવી અને કહ્યુ કે દેવી દેવતાઓ માટે અપશબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ. સદનની કાર્યવાહીમાં બધુ રેકોર્ડમાં રહે છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ ઉપાસભાપતિને કહ્યુ કે જો આજે મંત્રીને આ પ્રકારના ભાષણની અનુમતિ આપવામાં આવે છે તો તેનાથી ખોટી પરંપરા શરૂ થઈ જશે અને આ પ્રકારના શબ્દોનુ ચલણ શરૂ થઈ જશે. કોંગ્રેસે કહ્યુ છે કે તે શુક્રવારે પાર્લામેંટમાં સ્મૃતિ ઈરાની પાસે આ અંગે માફીની માંગ કરશે અને જો માફી નહી માંગે તો સદન નહી ચાલવા દે.