વીઝા ઓફરનો ઈનકર કરતા અનુપમ ખેરે કહ્યુ, "અબ્દુલ બાસિતજી કોલ કરવા અને કરાચી જવા માટે વીઝાની ઓફર આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હુ તમારા આ નિવેદનનુ સન્માન કરુ છુ. પણ બદનસીબે મે હવે મારી આ ડેટ્સ ક્યાય બીજે આપી દીધી છે."
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના શહેર કરાચીના લિટરેચર ફેસ્ટિવલમાં અનુપમ ખેરને જવાનુ હતુ. પણ વીઝા ન મળવાને કારણે તે ભાગ લઈ શકે તેમ નહોતા. અનુપમ ખેરનુ કહેવુ છે કે તેમને વીઝા એપ્લાય કર્યો હતો. પણ તેમને આપવામાં આવ્યો નહી. જ્યારે કે પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો કે અભિનેતાએ વીઝા એપ્લાય જ નહોતો કર્યો. પણ વિવાદ વધ્યા પછી પાકિસ્તાની હાઈકમિશ્નરે તેમને ફોન કરીને વીઝાની ઓફર કરી.