જમ્મુના રૂપનગર અને જાનીપુર વિસ્તારમાં મંગળવારે સાંજે એક ધાર્મિક સ્થળ પર છેડછાડની હરકત પછી ભડકેલા તનાવ પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે. પોલીસે એ વિસ્તારની ધેરાબંધી કરી રાખી છે અને લોકોના બહાર નીકળવા પર પણ રોક લગાવી છે. હંગામો કરનાર યુવક માનસિક રૂપે અસ્થિર છે. પોલીસે આ યુવકની ધરપકડ કરી તો એ વિસ્તારના લોકો ઉગ્ર થઈ ગયા અને ટોળાને સોંપવાની માગ સાથે આક્રોશે ભરાયેલા લોકોએ હિંસક પ્રદર્શન કર્યુ અને પથ્થરમારો કર્યો તે પછી વાહનોને આગ ચાંપી હતી. આ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.