સ્વાતિ બોલી હુ માયાવતીના વિરુદ્ધ લડવા માંગુ છુ

સોમવાર, 22 ઑગસ્ટ 2016 (12:26 IST)
બીજેપીના પૂર્વ નેતા દયાશંકર સિંહ અને તેમની પત્ની સ્વાતિ સિંહે માયાવતી પર જોરદાર નિશાન સાધ્યુ છે. માહિતી મુજબ રવિવારે એક વ્યક્તિગત પોગ્રામમા અલીગઢ પહોંચેલ સ્વાતિએ કહ્યુ કે હુ માયાવતી વિરુદ્ધ ચૂંટણી લડવા માંગુ છુ કારણ કે હુ જોવા માંગુ છુ કે સમાજ મારી સાથે જે કે એ દેવી સાથે જે એક બાળકીને સાર્વજનિકરૂપે બદનામ કરે છે. 
 
સ્વાતિએ કહ્યુ, જો માયાવતીને લાગે છે કે સર્વ સમાજ તેની સાથે છે તો સહારનપુરથી લઈને બલિયા સુધી કોઈપણ સામાન્ય સીટ પર મારા વિરુદ્ધ ચૂંટણી લડે. તે ચોક્કસ હારી જશે. સ્વાતિએ માયાવતીને કોઈપણ ન્યૂઝ ચેનલ પર ચર્ચાનો પડકાર આપ્યો છે. સ્વાતિએ કહ્યુ કે જ્યારે સંસદમા થયેલ નોટ કાંડમાં નેતા જેલ જઈ શકે છે તો ટિકિટ વેચનારા જેલ કેમ નથી જઈ શકતા. 

વેબદુનિયા પર વાંચો