કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભારત પરત ફર્યા છે. પણ હાલ તેઓ પોતાના ઘર પર હાજર નથી. કોંગ્રેસના સૂત્રોએ આ માહિતી આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રાહુલના ઘરે પહોંચી ગઈ છે. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ આ વિશે પૂછતા ફક્ત એટલુ કહ્યુ, 'રાહુલ થોડીવારમાં અહી આવશે'
હવે લીડ કરવાનો કરવાનો સમય આવી ગયો છે - દિગ્વિજય
લોકસભા ચૂંટણીમાં થયેલ કરારી હાર પર દિગ્વિજયે કહ્યુ, 'અમે પરસેપ્શનની લડાઈ હાર્યા. રાહુલ ખુદને એ પ્રકારના પ્રોજેક્ટ નહી કરે શકે. જેવુ મોદીએ કર્યુ. લોકસભા ચૂંટણીના સમ્યે તેમને વધુ આક્રમક થવુ જોઈતુ હતુ. તેમણે મુદ્દા પર વાત કરવી જોઈતી હતી. મીડિયા સાથે વાત કરવી જોઈએ હતી. પણ કદાચ તેઓ પહેલા સંપૂર્ણપણે તૈયાર નહોતા કે પછી તેઓ પૂર્વ પ્રધાનમંત્રીને પ્રભાવહીન કરવા નહોતા માંગતા. પણ હવે આ સંદેશ આપવાનો સમય આવી ગયો છે કે તેઓ જ કોંગ્રેસને દરેક રીતે લીડ કરી શકે છે.