ઈધણ અને દવાઓની આપૂર્તિ પણ ખૂબ ઓછી છે. થોડી આવી જ પરિસ્થિતિ કાઠમાંડૂના ઉપનગરીય અને બીજા ગ્રામીણ વિસ્તારોમાં પણ છે. નેપાળના ટોચ નોકરશાહ લીલા મણિ પૌડેલે કહ્યુ કે તત્કાલ અને મોટો પડકાર રાહત આપે છે. તેમણે કહ્યુ, "અમે બીજા દેશોને આગ્રહ કર્યો છે કે તે અમને વિશેષ રાહત સામગ્રી અને ચિકિત્સા દળ મોકલે. અમને આ સંકટનો સામનો કરવા માટે વધુ વિદેશી વિશેષજ્ઞ જરૂર છે."
આ અધિકારીએ કહ્યુ, "અમે ટેંટ, ધાબળા, ગાદી અને 800 જુદી જુદી દવાઓની હાલ ખૂબ જરૂર છે." અનેક દેશોના બચાવ દળ ખોજી કૂતરા અને આધુનિક ઉપકરણોની મદદથી જીવીત લોકોની ભાળ કાઢવામાં કામે લાગ્યા છે. ભૂકંપ પછી હજુ પણ હજારો લોકો ગાયબ છે. અહી બચાવ અને રાહત કાર્યમાં ભારત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યુ છે.
અધિકારીઓનુ કહેવુ છે કે ભૂકંપથી મરનારાઓની સંખ્યા 4000ને પાર કરી ગઈ છે. ફક્ત કાઠમાંડુ ઘાટીમાં 1053 લોકો અને સિંઘુપાલ ચોકમાં 875 લોકો માર્યા જવાના સમાચાર છે. અધિકારીઓએ કહ્યુ કે કાઠમાંડુ અને ભૂકંપ પ્રભાવિત કેટલા બીજા વિસ્તારમાં કાટમાળ હજુ પણ અસંખ્ય લોકો દબાયેલા છે. આવામાં શંકા છે કે મૃતકોની સંખ્યા 5000ને પાર જઈ શકે છે.