કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરી સાથે વાતચીત નિષ્ફળ થતા આ હડતાળ બોલાવવામાં આવી છે. ટ્રાંસપોર્ટર સંઘ દેશભરના 373 ટોલ પ્લાઝા હટાવવાની માંગ કરી રહ્યા છે. નીતીન ગડકરીએ AIMTCના પ્રતિનિધિમંડળ સાથે બેઠકમાં તેમની ચિંતાઓ ને દૂર કરવા માટે ડિસેમ્બર સુધી દેશભરમાં ઈલેક્ટ્રોનિક ટોલ પ્રણાલીનું વચન આપ્યુ. પણ આ સિસ્ટમને સંપૂર્ણ રીતે ખતમ કરવાની શક્યતાને રદ્દ કરી દીધી છે.
આ માંગોને લઈને હડતાળ...
ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)ના નિર્ણયને લઈને બનેલ અસમંજસની સ્થિતિ, ટોલ ટેક્સ માફ કરવો, TDSને લઈને વિવાદ જેવા અનેક મુદ્દાને લઈને ટ્રાસપોર્ટ યૂનિયન હડતાળ પર છે. કેન્દ્ર સરકાર સાથે સેંટ્રલ મોટર વ્હિકલ એક્ટ (CMVA) લાગૂ કરવાની માંગ પર કરવામાં આવી રહી છે.