પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી મુરલી દેવડાના મોત પર દુખ વ્યક્ત કર્યુ. તેમણે કહ્યુકે રવિવારે જ તેમણે મુરલી દેવડાના પરિવારજનો પાસેથી તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી લીધી હતી અને બીજા દિવસે આ દુખદ સમાચાર મળ્યા. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તા અને નેતા તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે એકત્ર થવા લાગ્યા છે.
સાર્વજનિક સ્થાનો પર ધૂમ્રપાન નિષેધ કરવામાં સૌથી મોટી ભૂમિકા મુરલી દેવડાની હતી. દેવડાની જ અરજી પર સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં નિર્ણય સંભળાવ્યો હતો. પોતાના રાજનીતિક જીવનની શરૂઆત દેવડાએ ધારાસભ્યના રૂપમાં કરી હતી. રાજનીતિમાં આવતા પહેલા તેઓ સમાજ સેવીના રૂપમા સક્રીય હતા. દેવડાના પુત્ર મિલિન્દ દેવડા મુંબઈથી સાંસદ હતા.